કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ,: સ્પર્ધાત્મક પરીક્ષા માટે માસ્ટર નોટ્સ

ગુજરાતની કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યો

સરકારી પરીક્ષા (CCE, પોલીસ કોન્સ્ટેબલ) માટે ગુજરાતની કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યોની સંપૂર્ણ માહિતી. પાઠ્યપુસ્તક આધારિત બેસ્ટ નોટ્સ

રામ રામ મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા મારા વાહલા ઉમેદવારો, ગુજરાતની ભૂગોળનો એક એવો ટોપિક છે જેમાંથી પેપર કાઢનાર સાહેબોને પ્રશ્નો પૂછવા બહુ ગમે છે. અને એ ટોપિક એટલે ગુજરાતની કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યો. તમે CCE ની મેઈન્સ આપતા હોવ, પોલીસ કોન્સ્ટેબલની લેખિત કસોટી આપતા હોવ કે પછી GPSC ની તૈયારી કરતા હોવ, જંગલો અને વન્યજીવોના આંકડાઓ તમને પેપરમાં 100% જોવા મળશે.
​આજે આપણે ચોપડીઓની અઘરી ભાષામાં નહિ, પણ એકદમ આપણી દેશી અને સીધી ભાષામાં આખો ટોપિક મગજમાં ઉતારી લેવાનો છે. આ માહિતી લેટેસ્ટ વન અહેવાલ અને પાઠ્યપુસ્તકો પર આધારિત છે, એટલે આ વાંચ્યા પછી તમારે બીજે ક્યાંય ફાંફા નહિ મારવા પડે.

ગુજરાતના જંગલો અને કુદરતી વનસ્પતિની સ્થિતિ

​ગુજરાત ભલે ઔદ્યોગિક રીતે આગળ હોય, પણ જૈવિક વિવિધતામાં પણ પાછળ નથી. વિશ્વમાં કદાચ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં એશિયાઇ સિંહ, વાઘ અને દીપડા જોવા મળે છે. તે જ રીતે ઘુડખર પણ ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે.
​ગુજરાત વન અહેવાલ-2023 મુજબ ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર 1,96,024 ચોરસ કિ.મી. છે. ગુજરાતમાં જંગલ કવર (Total Forest Cover) 15016.64 ચોરસ કિ.મી. છે, જે કુલ ભૌગોલિક વિસ્તારના 7.65% છે. રાષ્ટ્રીય વનનીતિ મુજબ રાજ્યોમાં 33% જંગલો હોવા આવશ્યક છે, જે નક્કી કરેલા ધોરણ કરતાં ગુજરાતમાં ઓછાં છે.
​ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલ છે, જે કુલ વિસ્તારના 2439.48 ચો.કિ.મી.માં ફેલાયેલ છે. બીજી બાજુ, ગુજરાતમાં ટકાવારીની દૃષ્ટિએ વન વિસ્તાર ડાંગ જિલ્લામાં આવેલ છે, જે કુલ વિસ્તારનાં 71.47% માં છે. ગુજરાતના 8 જિલ્લાઓમાં ગાઢ જંગલો આવેલા છે, જેમાંથી ડાંગ જિલ્લો 210 ચો.કિ.મી. સાથે પ્રથમ ક્રમે છે.

​ગુજરાતના જંગલોના મુખ્ય પ્રકારો

​વરસાદ અને આબોહવાના આધારે ગુજરાતના જંગલોને મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ભાગ કયા છે અને ત્યાં કેવા વૃક્ષો થાય છે તે સમજી લઈએ:

  • ​ભેજવાળાં પાનખર જંગલો: આ પ્રકારનાં વનો 120 સે.મી. કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના – સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતના – પંચમહાલ, દાહોદ અને નર્મદા જિલ્લાઓમાં તે આવેલા છે. માર્ચ અને એપ્રિલની સૂકી ઋતુમાં આ જંગલોના વૃક્ષોના પાંદડા ખરી પડે છે. આ જંગલોમાં 50 ટકા વૃક્ષો સાગનાં જોવા મળે છે.
  • સૂકાં પાનખર જંગલો: આ જંગલો 60 થી 120 સે.મી. જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે. વિવિધ પ્રકારનાં વૃક્ષો જોવા મળતાં હોવાથી એને કેટલીકવાર ‘મિશ્ર જંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તળ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના ઉત્તર-પૂર્વ ભાગમાં, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા અને નર્મદામાં તથા સૌરાષ્ટ્રનાં ડુંગરાળ પ્રદેશોમાં તે જોવા મળે છે. આ વનોમાં વાંસ, સાગ, ખેર, બાવળ, શીમળો, ટીમરું, કેસૂડો વગેરે જોવા મળે છે. યાદ રાખજો કે ઇડરમાં સાગના સંરક્ષિત જંગલો આવેલા છે.
  • ​સૂકાં ઝાંખરાંવાળાં જંગલો: ગુજરાતના 60 સે.મી. કરતાં ઓછા વરસાદવાળા ઉત્તરનાં સૂકાં ભાગોમાં સૂકા ઝાંખરાંવાળા જંગલો આવેલા છે. આ જંગલોમાં મુખ્યત્વે કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે જેમ કે બાવળ, મોદડ, થોર, બોરડી થાય છે. આ વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડો-બાવળ તરીકે ઓળખાતું વૃક્ષ વાવવામાં આવે છે.
  • ​મેન્ગ્રોવ જંગલો: પશ્ચિમ બંગાળ પછી ગુજરાત મેન્ગ્રોવ જંગલોમાં બીજા સ્થાન પર છે. ગુજરાતમાં મેન્ગ્રોવનાં વનો 1175.07 ચો.કિ.મી.માં વિસ્તરેલા છે. ગુજરાતમાં મેન્ગ્રોવ વિસ્તારમાં કચ્છ જિલ્લો 708.42 ચો.કિ.મી. સાથે પ્રથમ ક્રમે છે.

​જંગલ પેદાશો અને તેના પર નભતા ઉદ્યોગો

​પરીક્ષામાં ઘણીવાર જંગલમાંથી મળતી પેદાશો ક્યાં વપરાય છે તેના જોડકાં પૂછાય છે. ગુજરાતમાં લાકડામાંથી રેયોનનું ઉત્પાદન કરતાં બે કારખાનાં આવેલા છે જે સુરત નજીક ઉધનામાં અને બીજું વેરાવળ ખાતે આવેલું છે. શીમળાનાં વૃક્ષોમાંથી દીવાસળી બનાવવા માટેનાં કારખાનાં ચોરવાડ(જૂનાગઢ) અને રાજપીપળામાં (નર્મદા) આવેલ છે. ગુજરાતમાં તાપી જિલ્લાના સોનગઢ ખાતે કાગળના માવાનું ઉત્પાદન કરતી “સેન્ટ્રલ પલ્પ મિલ” આવેલી છે.
​બાવળ અને ખેરનાં વૃક્ષોમાંથી ગુંદર મેળવવામાં આવે છે, જ્યારે ખેરનાં વૃક્ષોમાંથી કાથો બનાવવામાં આવે છે. ડાંગ જિલ્લાનાં વધઇમાં સરકાર સંચાલિત એક માત્ર લાકડાં વહેરવાની મિલ આવેલ છે.

ગુજરાતનાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો (National Parks)

​ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં અભ્યારણ્ય કરતા નિયમો વધુ કડક હોય છે. ચાલો ચારેય વિશે ફટાફટ નજર મારી લઈએ:
​ગીર રાષ્ટ્રીય ઉદ્યાન: ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સાસણગીર, જૂનાગઢ અને અમરેલીમાં વિસ્તરેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના વર્ષ-1965માં થઈ હતી અને તેનું ક્ષેત્રફળ 258.71 ચોરસ કિ.મી. છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયાઇ સિંહ, દીપડો, ઝરખ, ચિત્તલ અને સાબર જોવા મળે છે.

  • ​કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન: આ રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના વેળાવદરમાં આવેલ છે. તેને જુલાઇ-1976માં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે 34.08 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્યાનમાં કાળિયાર, વરુ, ખડમોર અને નીલગાય જોવા મળે છે.
  • ​વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન: આ રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 23.99 ચોરસ કિ.મી.માં વિસ્તરેલ છે. તેને એપ્રિલ-1979માં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
  • ​દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન: સૌરાષ્ટ્રના ઉત્તર કિનારે ઓખાથી જોડિયા વચ્ચેના ઓછી ભરતીવાળા છીછરા પાણીવાળા સમુદ્રમાં આ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલ છે. તેને ઓગસ્ટ-1982માં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 163 કિ.મી. વિસ્તારમાં પરવાળા, ઓક્ટોપસ, ડોલ્ફીન માછલી જેવા દરિયાઇ જીવો જોવા મળે છે.

​ગુજરાતનાં અગત્યનાં અભ્યારણ્યો (Sanctuaries)

​જ્યાં આગળ પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઇ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને ‘અભયારણ્ય’ કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં વર્ષ-2022 મુજબ કુલ 23 વન્ય પ્રાણી અભયારણ્યો આવેલાં છે. પરીક્ષા માટે સૌથી કામના અભ્યારણ્યોની વાત કરીએ તો:

​વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય ‘કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય’ છે જે કચ્છના મોટા રણમાં 7506.22 ચોરસ કિ.મી.માં વિસ્તરેલું છે. આ અભયારણ્ય ‘ફ્લેમિંગ સિટી’ તરીકે ઓળખાય છે. બીજી બાજુ, સૌથી નાનું અભ્યારણ્ય ‘પોરબંદર પક્ષી અભયારણ્ય’ છે જે 1 ચોરસ કિ.મી.માં ફેલાય છે.
​રીંછ માટેના અભ્યારણ્યો ખાસ યાદ રાખજો: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ‘જેસોર રીંછ અભયારણ્ય’ આવેલ છે. દાહોદ જિલ્લામાં ‘રતનમહાલ રીંછ અભયારણ્ય’ આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ‘બાલારામ-અંબાજી અભયારણ્ય’ આવેલ છે. અને પંચમહાલ જિલ્લામાં ‘જાંબુઘોડા અભયારણ્ય’ આવેલ છે જ્યાં સ્લોથ રીંછ જોવા મળે છે.
​પક્ષીઓ માટે નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. તેને 24 સપ્ટેમ્બર, 2012માં રામસર સાઇટ (વેટલેન્ડ) જાહેર કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં ‘ખીજડીયા પક્ષી અભયારણ્ય’ આવેલ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે. અને હા, ઘુડખર પક્ષી અભયારણ્ય કચ્છના નાના રણમાં 4953.70 ચો.કિ.મી. વિસ્તારમાં વિસ્તરેલ છે. નર્મદા જિલ્લામાં ‘

શૂલપાણેશ્વર અભયારણ્ય આવેલ છે જેને 1982માં ડુમખલ અભયારણ્ય નામ આપવામાં આવ્યું હતું.

​💡 બોનસ પોઈન્ટ: ગોખ્યા વગર કઈ રીતે યાદ રાખવું?

​મિત્રો, પરીક્ષાની તૈયારીમાં 23 અભ્યારણ્યોના નામ અને જિલ્લાઓ ગોખવા બેસશો તો પેપરમાં ચોક્કસ ભૂલ પડશે. આને યાદ રાખવાની સ્માર્ટ રીત એ છે કે તેને ગુજરાતના નકશા (Map) સાથે જોડી દો.
​દાખલા તરીકે, તમે ધ્યાનથી જુઓ તો ‘રીંછ’ ના તમામ અભ્યારણ્યો (જેસોર, બાલારામ, રતનમહાલ, જાંબુઘોડા) ગુજરાતની પૂર્વ પટ્ટી પર (બનાસકાંઠાથી લઈને પંચમહાલ-દાહોદ સુધીના ડુંગરાળ વિસ્તારોમાં) જ આવેલા છે. એટલે પેપરમાં જ્યારે પણ રીંછનું અભ્યારણ્ય પૂછાય, ત્યારે તમારે સીધી પૂર્વ ગુજરાતની બોર્ડર જ યાદ કરવાની. એ જ રીતે, દરિયાઈ જીવસૃષ્ટિ (પરવાળા, શાર્ક, જેલી ફીશ) ના પ્રશ્નો આવે એટલે મગજ સીધું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે (જામનગર-ઓખા) જ જવું જોઈએ.
​બીજી જબરદસ્ત ટ્રીક એ છે કે અમુક અભ્યારણ્યોના નામ પાછળ સ્થાનિક ભૂગોળ કે મંદિરોનો ઈતિહાસ છુપાયેલો છે. જેમ કે, નર્મદા જિલ્લાના અભ્યારણ્યનું નામ ‘શૂલપાણેશ્વર’ ત્યાં આવેલ ભગવાન શિવના મંદિરના આધારે રાખવામાં આવેલ છે. પાલનપુર તાલુકામાં આવેલું બાલારામ-શિવમંદિરના કારણે બાલારામ-અંબાજી અભયારણ્ય નામ આપવામાં આવ્યું છે. જો તમે આ રીતે સાંસ્કૃતિક વારસાને ભૂગોળ સાથે જોડીને (Link કરીને) વાંચશો, તો પરીક્ષાના પ્રેશરમાં પણ ઓપ્શન જોતા જ સાચો જવાબ તમારા મગજમાં ઝબકાર મારશે.





🌳 ગુજરાતના જંગલો અને અભ્યારણ્યો: 10 IMP પ્રશ્નોની ટેસ્ટ

કેમ છો મિત્રો! કોઈપણ સરકારી પરીક્ષાના પેપરમાં ગુજરાતની ભૂગોળમાંથી ‘જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યો’ ના પ્રશ્નો અચૂક પૂછાય છે. કયું અભ્યારણ્ય ક્યાં છે અને તેમાં કયા પ્રાણીઓ જોવા મળે છે, તે યાદ રાખવું ખૂબ જરૂરી છે.

આજે Gujarati Job Quiz પર અમે પાઠ્યપુસ્તકો અને લેટેસ્ટ વન-અહેવાલ પર આધારિત 10 અગત્યના પ્રશ્નોની શોર્ટ ક્વિઝ લઈને આવ્યા છીએ. ચાલો ચેક કરીએ કે ભૂગોળમાં તમારો પાયો કેટલો મજબૂત છે!

🏆 તમારું ફાઈનલ સ્કોરકાર્ડ: 0 / 10

કુલ પ્રશ્નો: 10
કુલ માર્ક્સ: 10
તમે મેળવેલા માર્ક્સ: 0
એટેમ્પ્ટ કરેલા પ્રશ્નો: 0
સાચા જવાબો: 0
ખોટા જવાબો: 0
છોડી દીધેલા પ્રશ્નો: 0

સાચા જવાબો અને સમજૂતી (Solutions)

1) ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:વિસ્તારની દૃષ્ટિએ સૌથી વધુ જંગલો કચ્છ જિલ્લામાં (2439.48 ચો.કિ.મી.) છે, જ્યારે ટકાવારીની દૃષ્ટિએ ડાંગ જિલ્લો (71.47%) સૌથી મોખરે છે.

2) નીચેનામાંથી કયા જંગલોમાં 50 ટકા વૃક્ષો માત્ર ‘સાગ’ ના જ જોવા મળે છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:દક્ષિણ ગુજરાતના ભેજવાળાં પાનખર જંગલોની ખાસિયત એ છે કે અહીં 50 ટકા વૃક્ષો માત્ર ‘સાગ’ ના જ જોવા મળે છે.

3) ગુજરાતમાં મેન્ગ્રોવ (ચેર) ના જંગલોમાં કયો જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ભારતમાં પશ્ચિમ બંગાળ પછી ગુજરાત મેન્ગ્રોવ જંગલોમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં 708.42 ચો.કિ.મી. સાથે કચ્છ જિલ્લો પ્રથમ ક્રમે છે.

4) દીવાસળી બનાવવા માટે કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે, જેના કારખાના ચોરવાડ અને રાજપીપળામાં આવેલા છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:શીમળાના વૃક્ષના લાકડામાંથી દીવાસળી બનાવવામાં આવે છે. ખેરના વૃક્ષમાંથી કાથો અને બાવળ કે ખેરમાંથી ગુંદર મળે છે.

5) ગુજરાતનું ગૌરવ એવા ‘ગીર રાષ્ટ્રીય ઉદ્યાન’ ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:1965 માં સ્થપાયેલું આ ઉદ્યાન જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 258.71 ચો.કિ.મી. માં ફેલાયેલું છે જ્યાં એશિયાઇ સિંહ જોવા મળે છે.

6) કાળિયાર (Blackbuck) માટેનું પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:ભાવનગર જિલ્લાના વેળાવદરમાં આવેલું આ ઉદ્યાન 1976 માં જાહેર થયું હતું. અહી કાળિયાર, વરુ અને ખડમોર પક્ષી જોવા મળે છે.

7) વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે, જે ‘ફ્લેમિંગ સિટી’ તરીકે પણ ઓળખાય છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:‘કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય’ ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય છે (7506.22 ચો.કિ.મી.). તે સુરખાબ (ફ્લેમિંગો) માટે પ્રખ્યાત હોવાથી તેને ફ્લેમિંગ સિટી કહેવાય છે.

8) પંચમહાલ જિલ્લામાં કયું અભ્યારણ્ય આવેલું છે, જ્યાં મુખ્યત્વે સ્લોથ રીંછ જોવા મળે છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:પંચમહાલ જિલ્લામાં ‘જાંબુઘોડા અભયારણ્ય’ આવેલ છે. (રતનમહાલ દાહોદમાં છે, અને જેસોર તેમજ બાલારામ બનાસકાંઠામાં છે).

9) 24 સપ્ટેમ્બર 2012 ના રોજ કોને ‘રામસર સાઇટ’ (વેટલેન્ડ) તરીકે જાહેર કરવામાં આવ્યું છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 120.82 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા ‘નળ સરોવર’ ને 2012 માં રામસર સાઇટ જાહેર કરાયું છે.

10) રાષ્ટ્રીય વનનીતિ મુજબ રાજ્યમાં કેટલા ટકા જંગલો હોવા આવશ્યક છે?




↺ જવાબ કાઢી નાખો (Clear)
💡 સમજૂતી:પર્યાવરણની સમતુલા જાળવવા માટે રાષ્ટ્રીય વનનીતિ મુજબ 33% જંગલો હોવા આવશ્યક છે, જો કે ગુજરાતમાં તેનું પ્રમાણ ઘણું ઓછું (7.65%) છે.


📝 લેખકનો પરિચય: ‘Gujarati Job Quiz’ ટીમ.
સરકારી નોકરીનું સપનું જોતા ગુજરાતના યુવાનોને સચોટ, 100% સિલેબસ મુજબનું અને GCERT/NCERT આધારિત મટીરીયલ આપવું એ જ અમારી ફરજ છે. આવી જ અગત્યની અને સ્માર્ટ લાઈવ ટેસ્ટ રોજેરોજ આપવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

Leave a Comment